રૂપાલા વિવાદ-ઘર કા ભેદી લંકા ઢાયે ???: પ્રદેશ ઉપાધ્યક્ષનું નામ ઉછળ્યું ..
- 09 Apr, 2024
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે તેની સાથે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ પણ નજીક આવી રહી છે એવામાં રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ ક્ષમવાનું નામ લેતો નથી,ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને બેનરોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રુપાલા વિરોધમાં અનેક જગ્યાએ સમાજની મીટિંગ થઈ રહી છે ત્યારે આ વિવાદમાં હવે ભાજપ ઉપાધ્યક્ષ બોઘરાનું નામ ઉછળતા તેમણે મીડિયા સમક્ષ આ બાબતે ખુલાસા કર્યા છે.
ગુજરાતમાં ક્ષત્રિઓ રૂપાલા સામે આકરા પાણીએ છે ત્યારે ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના નેતાના હાથ હોવાની વાત સામે આવતા જ રાજકારણ ગરમાયું છે ત્યારે આ વિવાદમાં ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું પણ નામ ઉછળતા તેમણે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક સમયથી આઈબીના નામે કેટલાક વિરોધીઓ વિવિધ માધ્યમો દ્વારા ખોટા અહેવાલ અને અફવાઓ ફેલાવી રહ્યા છે. આ અહેવાલ કે સમાચારમાં કોઈ તથ્ય નથી.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'ક્ષત્રિય આંદોલનમાં કથિત ભુમિકા હોવાની વાત અંગે મને અને રાજકોટ શહેરના કોઈ ભાજપ કાર્યકર્તાને પ્રદેશનો ખુલાસો પૂછવામાં આવ્યો નથી. પ્રદેશ ભાજપે મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કર્યો નથી. અમારા એકપણ કાર્યકર્તાએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું નથી. રાજકોટના દરેક આગેવાન કાર્યકર્તાઓ રૂપાલાને જીતાડવા પ્રયત્ન કરી રહ્યા છે.' ભરત બોઘરાએ એમ પણ કહ્યું કે 'જો ક્ષત્રિય આંદોલનમાં મારી કોઈ ભૂમિકા સામે આવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. વિરોધ પક્ષના લોકો અને હિતક્ષત્રુઓ ખોટી રીતે તેમનું નામ ઉછાળી રહ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ